-
પોલિયો એ એક એવો રોગ છે
જે કાયમી લકવાનું કારણ બની શકે છે.
-
તેનો ઈલાજ તો શક્ય નથી
પણ તેને રોકી જરૂર શકાય છે.
-
બે મહત્વપૂર્ણ વસ્તુઓ -
પોલિયોને રોકવા માટે:
-
સુરક્ષિત અને અસરકારક એવી બે રસી.
-
આમાંથી એક રસી ના તો ફક્ત
બે ટીપા બાળકના મોઢામાં
-
આપવામાં આવે છે.
-
આને પોલિયોની 'ઓરલ' રસી કહેવામાં આવે છે.
-
બીજી રસી ઈન્જેકશન દ્વારા અપાય છે,
-
અને તેને નિષ્ક્રિય પોલિયો વાયરસ રસી
કહેવામાં આવે છે.
-
આ બંને રસી બાળકના શરીર ને
પોલિયોના વાયરસ સામે લડવા શક્તિ આપે છે.
-
પણ બંને રસી અલગ રીતે કામ કરે છે.
-
'ઓરલ' પોલિયો રસી બાળકના આંતરડામાં
સુરક્ષા સ્થાપિત કરે છે.
-
રસી મેળવનાર બાળક ઉપરાંત આ રસી
-
બાળકની આસપાસ રહેલા લોકોને પણ સુરક્ષિત રાખે છે.
-
પોલીઓનો ખતરો હોય તેવી જગ્યાઓએ
દરેક બાળકને 'ઓરલ' પોલિયો રસીના
-
થોડાક ડોઝ આપવા જોઈએ.
-
ઈન્જેકશન દ્વારા અપાતી રસી આંતરડામાં નહિ
પણ લોહીમાં સુરક્ષા સ્થાપિત કરે છે.
-
તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
અને દેશ પોલિયો થી મુક્ત રહે છે.
-
પણ એ બાળકો વચ્ચે પરસ્પર ફેલાતા
વાયરસ ને રોકી નથી સકતી,
-
અને તેથી તે એવી જગ્યાઓએ જ્યાં વાયરસ
પ્રસરી રહ્યો હોય છે ત્યાં વધારે અસરકારક નથી નીવડતી.
-
ફેલાઈ રહેલા વાયરસને રોકવા માટે
'ઓરલ' રસી જરૂરી છે.
-
જયારે પોલિયો બધેથી નાબૂદ થઇ જાય ત્યારે
-
નિષ્ક્રિય પોલિયો વાયરસ રસીની મદદથી
-
લોકો સુરક્ષિત રહે છે.
-
આ બંને રસીઓને 'વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઞશન' દ્વારા
સુરક્ષિત અને અસરકારક
-
પ્રમાણિત કરવામાં આવેલ છે.
-
આ રસીઓને તેમનું કામ કરવા માટે
દરેક જગ્યાએ રહેતા દરેક બાળકને
-
તે આપવી જોઈએ.
-
આ રસીઓની મદદથી
-
દુનિયામાં પોલીઓના કેસ
૯૯% જેટલા ઓછા થઇ ગયા છે.
-
ચાલો, દરેક બાળકને રસી અપાવીએ.
-
ચાલો, પોલિયોને જડમૂળથી હટાવીએ.