હું આજે વાત કરવા માંગુ છું કે કેવી રીતે વાંચનથી આપણું જીવન બદલાઈ શકે છે અને તે પરિવર્તનની મર્યાદા વિશે હું તમારી સાથે વાત કરવા માંગુ છું કે વાંચન કેવી રીતે શેર કરવા યોગ્ય વિશ્વ આપી શકે છે શક્તિશાળી માનવ જોડાણનું પરંતુ તેના વિશે પણ, કે તે જોડાણ હમેશાં આંશિક રહે છે. વાંચન આખરે કેવી રીતે એકલવાયું, મૂર્ખામીભર્યું ઉપક્રમ છે. મારા જીવનને બદલી નાખનાર લેખક મહાન આફ્રિકન અમેરિકન નવલકથાકાર જેમ્સ બાલ્ડવિન હતા. જ્યારે હું 1980 ના દાયકામાં પશ્ચિમના મિશિગનમાં ઉછેરાતી હતી, સામાજિક પરિવર્તનમાં રસ ધરાવતા ઘણા એશિયન અમેરિકન લેખકો ન હતા. અને તેથી મને લાગે છે કે હું જેમ્સ બાલ્ડવિન તરફ વળી આ રદબાતલને ભરવાની રીતે તરીકે, વંશીય સભાનતા અનુભવવાના માર્ગ તરીકે. પરંતુ કદાચ, કારણ કે હું જાણતી હતી કે હું મારી જાતે આફ્રિકન - અમેરિકન નથી. મને પણ તેના શબ્દો દ્વારા પડકાર અને દોષિત લાગ્યું. ખાસ કરીને આ શબ્દો : "એવા ઉદરવાદીઓ છે કે જેમની પાસે તમામ યોગ્ય વલણ છે, પરંતુ કોઈ વાસ્તવિક પ્રતીતિ નથી. જ્યારે ચિપ્સ નીચે હોય અને તમે કોઈક તે તમને આપે તેવી અપેક્ષા કરો છો, તેઓ કોઈક રીતે ત્યાં નથી." તેઓ કોઈક રીતે ત્યાં નથી. મેં તે શબ્દો ખૂબ શાબ્દિક રીતે લીધા, મારે સ્વયં ને ક્યાં મૂકવી ? હું મિસીસીપી ડેલ્ટા પર ગયી, યુનાઈટેડ સ્ટેટ્સના સૌથી ગરીબ વિસ્તારોમાંનો એક. આ એક શક્તિશાળી ઇતિહાસ દ્વારા આકારનું સ્થળ છે. 1960 ના દાયકમાં, આફ્રિકન અમેરિકનોએ શિક્ષણ માટે લડવા પોતાનું જીવન જોખમમાં નાખ્યું , મતના અધિકાર માટે લડવું . હું તે પરિવર્તનનો ભાગ બનવા માંગુ છું, યુવાન કિશોરોને સ્નાતક થવા અને કોલેજમાં જવા માટે મદદ કરવા માટે. જ્યારે હું મિસિસિપીડેલ્ટા પર ગયી, તે એક જગ્યા હતી જે સખત નબળી હતી હજી અલગ , હજુ પાનાં નાટકીય રીતે પરિવર્તનની જરૂર છે. મારી શાળા, જ્યાં મને મૂકવામાં આવી હતી, કોઈ લાઈબ્રેરી નહોતી, કોઈ માર્ગદર્શન સલાહકાર નથી પરંતુ તેમાં એક પોલીસ અધિકાર હતો. અડધા શિક્ષકો આવેજી હતા અને જ્યારે વિધ્યાર્થીઓ દલીલ કરવા આવ્યા , શાળાએ તેમને સ્થાનિક કાઉન્ટી જેલમાં મોકલ્યા. આ તે શાળા છે જ્યાં હું પેટ્રિકને મળી હતી. તે 15 વર્ષનો હતો અને બે વાર પાછો પડ્યો હતો, તે આઠમા ધોરણમાં હતો. તે શાંત, આત્મનિરીક્ષણશીલ હતો, જેમ કે તે હંમેશાં ઉંડા વિચારમાં હતો. અને બીજા લોકોને લડતા જોઈને તેને નફરત થતી. મે જોયું કે તે એકવાર બે છોકરીઓની લડત માં વચ્ચે ગયો જ્યારે તેઓ લડી રહી હતી અને તે પોતે જ જમીન પર પછડાયો. પેટ્રિકને ફક્ત એક સમસ્યા હતી. તે સ્કૂલમાં ન આવતો. તે કહે છે કે કેટલીક વારશાળા ખૂબ જ હતાશાકારક હતી. કારણ કે લોકો હંમેશાં લડતા હતા અને શિક્ષકો છોડી દેતા હતા. અને તેની માતાએ બે નોકરીઓ કરી અને તે ખૂબ જ થાકી ગયી હતી તેને મોકલવામાં. તેથી તેને શાળાએ લાવવાનું કામ મે મારું બનાવ્યું છે. અને કારણ કે હું 22 ની ક્રેઝી અને ઉત્સાહી આશાવાદી હતી, મારી વ્યૂહરચના ફક્ત તેના ઘરે બતાવવાની હતી અને કહેવું કે ,"અરે , તમે શા માટે શાળામાં નથી આવતા ?" અને આ વ્યૂહરચના ખરેખર કામ કરી ગઈ, તેને દરરોજ શાળાએ આવવાનું શરૂ કર્યું . અને એ મારા વર્ગમાં ખીલાવા લાગ્યો તે પુસ્તકો વાંચતો હતો, તે કવિતા લખી રહ્યો હતો. તે રોજ સ્કૂલમાં આવતો હતો. તે જ સમયની આસપાસ પેટ્રિક સાથે કેવી રીતે જોડાવું તે મે શોધી કાઢયું હતું, હું હાર્વર્ડ ખાતે લો સ્કૂલમાં પ્રવેશી. મે ફરીથી આ સવાલનો સામનો કર્યો છે, મારે મારી જાતને ક્યાં મૂકવી જોઈએ, હું મારા શરીરને ક્યાં મૂકી શકું ? અને મે મારી જાત માટે વિચાર્યું કે મિસીસીપી ડેલ્ટા તે સ્થાન હતું જ્યાં પૈસાવાળા લોકો હતા તક સાથે લોકો, તે લોકો રજા આપે છે અને જે લોકો પાછળ રહે છે એ એવા લોકો છે કે જેને વિદાય લેવાની તક નથી. મારે તે વ્યક્તિ નહતું બનવું કે જે ચાલ્યો ગયો. હું એવિ વ્યક્તિ બનાવા માંગતી હતી જે રોકણી. બીજી બાજુ, હું એકલી અને થાકી ગઈ હતી. અને તેથી મે મારી જાતને ખાતરી આપી કે હું વધુ પરીવર્તન લાવી શકું છું મોટા પાયે જો મારી પાસે પ્રતિષ્ઠિત કાયદાની ડિગ્રી હોય. તેથી હું નીકળી ગઈ. ત્રણ વર્ષ પછી, જ્યારે હું લો સ્કૂલમાંથી સ્નાતક થવાની હતી, મારા મિત્રએ મને બોલાવી અને મને કહ્યું કે પેટ્રિકે લડાઈમાં કોઇની હત્યા કરી નાખી હું બરબાદ થઈ હતી. મારા ભાગે તે માન્યુ નહીં, પરંતુ મારા ભાગને પણ ખબર હતી કે તે સાચું હતું. હું પેટ્રિકને જોવા નીચે ઊતરી ગઈ. મે જેલમાં તેની મુલાકાત લીધી. અને તેણે મને કહ્યું કે તે સાચું હતું. કે તેણે કોઇની હત્યા કરી હતી. અને તે આ વીશે વધુ વાત કરવા માંગતો ન હતો. મે તેને પૂછ્યું કે શાળામાં શું થયું છે અને તેણે કહ્યું કે હું ગઈ પછી એક વર્ષ તે બહાર નીકળી ગયો હતો. અને પછી તે મને કઈક. બીજું કહેવા માંગતો હતો. તેણે નીચે જોયું અને કહ્યું કે છે તેને એક બાળક, પુત્રી છે જેનો જન્મ જ થયો હતો. અને તેને લાગ્યું કે તેણે નીચે મૂકી છે. તે જ, અમારી વાતચીત ઝડપી અને બેડોળ હતી. જ્યારે મે જેલની બહાર પગ મૂક્યો ત્યારે અંદરથી એક અવાજ આવ્યો "પાછા આવી જાઓ. જો તમે હવે પાછા નહીં આવે તો. તમે કદી પાછા આવસો નહીં. તેથી હું સ્કૂલમાંથી સ્નાતક થયી અને હું પછી ગયી. હું પેટ્રિકને જોવા પછી ગયી, હું તેના કેસમાં કેવી રીતે મદદ કરી શકું તે જોવા હું પાછી ગયી. અને આ વખતે, જ્યારે મે તેને બીજી વાર જોયો, મે વિચાર્યું કે આ મારો સારો વિચાર છે,મે કહ્યું, "અરે, પેટ્રિક, તમે તમારી દીકરીને પત્ર કેમ નથી લખતા જેથી તમે તેને તેના દિમાગ પર રાખી શકો ? અને મે તેને પેન અને કાગળનો ટુકડો આપ્યો અને તેને લખવાનું શરૂ કર્યું . પરંતુ જ્યારે મે તે કાગળ જોયું કે તેણે મને પાછો આપ્યો, હું ચોકી ગયી. હું તેના હસ્તકસરને આઓળખતી નથી, તેણે જોડણીની સરળ ભૂલો કરી હતી અને મે વિચાર્યું કે એક શિક્ષક તરીકે. મને ખબર છે કે એક વિદ્યાર્થી નાટ્યાત્મક રીતે સુધરી શકે છે ખૂબ જ ઓછા સમયમાં, પરંતુ મે ક્યારેય વિચાર્યું પણ નથી કે વિદ્યાર્થી નાટકીય રીતે ફરી શકે છે. શેને મને વધુ વેદના આપી હતી, તે જોઈને કે તેણે તેની પુત્રીને શું લખ્યું હતું તેણે લખ્યું હતું, "હું મારી ભૂલો બદલ દિલગીર છું, તારી માટે ત્યાં ન હોવા બદલ માફ કરશો." અને આ તેને લાગ્યું કે તેને તેણીને કહેવું હતું. અને મે વિચાર્યું હું તેમને કેવી રીતે ખાતરી આપું કે તેમની પાસે કહેવાનું ઘણું છે, પોતાના ભાગો કે જેને માટે તેને માફી માંગવાની જરૂર નથી. હું ઇચ્છતી હતી તે અનુભવે તેની પાસે તેની પુત્રી શાથે શેર કરવા કઈક યોગ્ય હતું. આગામી સાત મહિના માટે દરરોજ હું તેની મુલાકાત લઈ પુસ્તકો લાવી. મારી બેગ એક નાની લાઈબ્રેરી બની ગઈ. હું જેમ્સ બાલ્ડવિનને લઈને આવી, હું વોલ્ટ વ્હિટમેન, સી.એસ. લુઈસ લાવી. હું ઝાડની અને પક્ષીઓની ગાઈડબુક લાવી , અને જેમાથી કોઈ એમનું પ્રિય પુસ્તક, શબ્દકોશ બનશે કેટલાક દિવસો પર, અમે કલાકો સુધી મૌન બેસી રહેતાં, અમે બંને વાંચતા. અને અન્ય દિવસો પર, અમે સાથે વાંચતા,અમે કવિતા વાંચતા. અમે સેંકડો હાઈકુસ વાંચીને શરૂઆત કરી, ભ્રામકરૂપે એક સરળ માસ્ટરપીસ. અને મેં તેમને પૂછ્યું "તમારી પ્રિય હાઇકુ મારી સાથે શેર કરો." અને તેમના કેટલાક તદ્દન રમૂજી છે. તેથી ત્યાં ઈસા દ્વારા : "ચિંતા ના કરશો, કરોળિયા, હું ઘરને આકસ્મિક રીતે રાખું છું." અને આ : "અડધો દિવસ નિંદ્રાધીન, કોઈએ મને સજા કરી!" અને આ ખૂબસૂરત, જે પહેલા દિવસે બરફ પાડવાના છે તેના વિશે છે, "હરણ એકબીજાના કોટ્સમાંથી પ્રથમ હિમ ચટતા" ત્યાં કઈંક રહસ્યમય અને ખૂબસૂરત છે કવિતા જે રીતે દેખાય છે તે વિશે. ખાલી જ્ગ્યા એટવી જ મહત્વની છે જેટલા શબ્દો . અમે ડબલ્યુ.એસ. મરવીનની કવિતા વાંચી, જે તેણે તેની પત્નીને બગીચામાં કામ કરતાં જોયા પછી લખ્યું હતું અને સમજાયું કે તેઓ આખી જિંદગી એક સાથે વિતાવશે. "મને કલ્પના કરવા દો કે આપણે ફરીથી આવીશું જ્યારે આપણે ઇચ્છીએ અને તે વસંત હશે આપણે પેહલા હતા એનાથી વધારે વૃદ્ધ નહીં હોઈએ દુ:ખ વહેલા વદળની જેમ વહેલા હળવા થઈ જશે જેના દ્વારા સવાર પોતે ધીમે ધીમે આવે છે મેં પેટ્રિકને પૂછ્યું કે અને ગમતી લાઇન કઈ છે, અને તેણે કહ્યું, "આપણે પેહલા હતા એનાથી વધારે વૃદ્ધ નહીં હોઈએ." તેમણે કહ્યું કે તે તેમને એવિ જગ્યાની યાદ અપાવે છે જ્યાં સમય ફક્ત અટકે છે, જ્યાં હવે સમયાનો કોઈ ફરક નથી પડતો. અને મેં તેને પૂછ્યું તેની પાસે આવું સ્થાન છે જ્યાં સમય કયાં રહે છે, અને તેને કહ્યું, "મારી માતા. જ્યારે તમે કોઈ બીજાની સાથે કવિતા વાંચો છો કવિતાનો અર્થ બદલાય છે. કારણ કે તે કવિતા વ્યક્તિ માટે વ્યક્તિગત બ- ની જાય છે,તમારા માટે વ્યક્તિગત બની જાય છે. પછી અમે પુસ્તકો વાંચી, અમે ઘણી બધી પુસ્તકો વાંચી, અમે ફ્રેડરીક ડગ્લાસનું સંસ્મરણ વાંચ્યું, એક અમેરિકન ગુલામ જેણે પોતને વાંચવાનું અને લખવાનું શીખવ્યું અને જે તેની સાક્ષરતા ને કારણે આઝાદીમાં ભાગ્યા હું ફ્રેડરીક ડગ્લાસને હીરો માનીને મોટો થયો હતો અને મેં આ વાર્તાને એક ઉત્થાન અને આશા તરીકે વિચારી. પરંતુ આ પુસ્તકે પેટ્રિકને એક પ્રકારની ગભરાટમાં મૂકી દીધો. તેણે ડગલાસને કહેલી નાતાલની વાર્તા પરથી નક્કી કર્યું, માસ્ટર ગુલામો જિન આપે છે એવી રીતે કે તેમને સાબિત કરી શકે કે તેઓ સ્વતંત્રતાને સાંભળી શકતા નથી. કેમ કે ગુલામો ખેતરોમાં ઠોકરો ખાતા હતા. પેટ્રિકે કહ્યું તે આની સાથે જોડાયેલો હતો. તેમણે કહ્યું કે જેલમાં એવા લોકો પણ છે જે, ગુલમોની જેમ, તેમની સ્થિતિ વિશે વિચારતા નથી, કારણ કે તે ખૂબ પીડાદાયક છે. ભૂતકાળ વિશે વિચરવું ખૂબ પીડાદાયક છે, આપણે કેટલું આગળ જવું પડશે તે વિચરવું ખૂબ પીડાદાયક છે. તેની પસંદની લાઇન આ લાઇન હતી : "કાંઇ પણ, ભલે કઈ પણ હોય, વિચારવાથી છુટકારો મળે! મારી હાલત વિષેની આ કાયમી વિચારધારાએ મને પીડિત કર્યો. " પેટ્રિકે કહ્યું કે ડગ્લાસ લખવામાં, વિચારતા રહેવામાં બહબૂર હતો. પરંતુ પેટ્રિકને ક્યારેય ખબર નહીં પડે કે તે મારા માટે ડગલાસ જેવો જ લાગતો હતો. તે કેવી રીતે વાંચતો રહ્યો, જોકે તે તેને ગભરાટમાં મૂકી દે છે. મારા કરતા પહેલાં તેને પુસ્તક પૂરું કર્યું, લાઇટ વગરની કોંક્રીટ સીડીમાં વાંચ્યું. પછી અમે માંરૂ એક પ્રિય પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું, મેરિલીન રોબિન્સનું "ગિલિયડ," જે પિતા તરફથી તેમના પુત્ર ને વિસ્તૃત પત્ર છે. તેને આ વાક્ય ગમતું હતું : "હું તમને એ જણાવવા માટે આ ભાગ લખું છું કે જો તમે ક્યારેય વિચારો કે તમે તમારા જીવનમાં શું કર્યું છે તમારે ભગવાનની કૃપા છે,મારા માટે એક ચમત્કાર, એક ચમત્કાર કરતા પણ કઈક વધારે." આ ભાષા વિષેના કઈક, તેના પ્રેમે, તેની ઝંખનાએ , તેના અવાજે, પેટ્રિકની લખવાની ઇચ્છાને ફરીથી જીવંત કરી. અને તે નોટબુક પર નોટબુક ભરી દેતો તેમની પુત્રીના પત્રો સાથે. આ સુંદર, જટિલ પત્રોમાં, તે અને તેની પુત્રી મિસિસિપી નદીની નીચેથી પસાર થઈ રહ્યા છે એવિ કલ્પના કરશે તે કલ્પના કરશે કે તેઓ કોઈ પર્વતનો પ્રવાહ શોધે છે સંપૂર્ણપણે સ્પષ્ટ પાણી સાથે. જ્યારે મેં પેટ્રિકને લખતા જોયા, મેં મારી જાતે વિચાર્યું, અને હવે હું તમને બધાને પૂછું છું, તમરામાંથી કેટલાયે કોઈને પત્ર લખ્યો છે, જે- નાથી તમને લાગે છે કે તમે નિરાશ થઈ ગયા છો ? તે લોકો ને તમારા મનમાંથી બહાર કાઢવા ખૂબ સરળ છે. પરંતુ પેટ્રિકે તેની પુત્રીનો દરરોજ સામનો કરીને બતાવ્યો, પોતાને તેના માટે જવાબદાર માનીને, શબ્દે શબ્દ તીવ્ર એકાગ્રતા સાથેના. હું મારા પોતાના જીવનમાં ઇચ્છતો હતો મારી જાતને તેવા જોખમમાં મૂકવા માટે. કારણ કે તે જોખમ વ્યક્તિના હ્રદયની શક્તિ પ્રગટ કરે છે. મને પાછળની વાત પર જવાદો અને માત્ર એક અસ્વસ્થતાનો પ્રશ્ન પૂછવાદો. પેટ્રિકની વાર્તાની જેમ હું આ વાર્તા કહેવા માટે કોણ છું ? પેટ્રિક તે છે જે આ પીડા સાથે જીવ્યો હતો અને હું મારા જીવનમાં ક્યારેય એક દિવસ ભૂખી નથી રહી. આ પ્રશ્ન વિશે મેં ઘણું વિચાર્યું , પરંતુ હું કહરવા માંગુ છું કે આ વાર્તા માત્ર પેટ્રિકની જ નથી. તે આપના વિષે છે, તે આપણી વચ્ચેની અસમાનતા વિષે છે. પુષ્કળ વિશ્વ કે જેમાં પેટ્રિક અને તેના માતપિતા અને તેના દાદા દાદી બંધ થઈ ગયા છે . આ વાર્તામાં, હું તે વિશ્વને પુષ્કળ રજૂ કરું છું. અને આ વાર્તા કહેવામાં હું મારી જાતને છુપાવવા માંગતી નથી. મારી પાસે જે શક્તિ છે તે છુપાવવી. આ વાર્તા કહેતા, હું તે શક્તિને બતાવવા માંગતી હતી અને પછી પૂછવું આપણી વચ્ચેનું અંતર કેવી રીતે ઓછું કરીએ ? વાંચવું એ તે અંતર ને કાપવા નો એક રસ્તો છે તે આપણને શાંત બ્રહ્માડ આપે છે કે જે આપણે એક સાથે વહેંચી શકીએ છીએ, કે જે આપણે સમાન રીતે વહેંચી શકીએ. તમે કદાચ હવે વિચારતા હસો કે પેટ્રિકનું શું થયું. શું વાંચને તેમનો જીવ બચાવ્યો ? તેણે કર્યું અને તેણે ન કર્યું . જ્યારે પેટ્રિક જેલની બહાર ગયો, તેની મુસાફરી ખૂબ જ આકર્ષક હતી. નોકરીદાતાઓએ તેના રેકોર્ડને કારણે તેને ફેરવ્યો, તેનો શ્રેષ્ઠ મિત્ર, તેની માતા, 43 વર્ષની વયે અવસાન પામ્યા હ્રદય રોગ અને ડાયાબિટિસથી. તે બેઘર હતો , તે ભૂખ્યો હતો . તેથી લોકો વાંચન વિશે ઘણી બધી વાતો કરે છે જે મને અતિશયોક્તિ લાગે છે સાક્ષર હોવાને કારણે તેની સાથે ભેદભાવ થવાનું બંધ ના થયું. સાક્ષરતાએ તેની માતાને મરી જતાં અટકાવી નહીં. તો વાંચન શું કરી શકે ? મારી પાસે કેટલાક જવાબો છે આજની વાતને સમાપ્ત કરવાના. વાંચન તેના આંતરિક જીવનને ચાર્જ કરે છે રહસ્ય સાથે, કલ્પનાઓ સાથે સુંદરતા સાથે. વાંચનથી તેને એવી છબીઓ મળી જેનાથી તેને આનંદ થયો : પર્વત, સમુદ્ર, હરણ, હિમ એવા શબ્દો કે જે મુક્ત, પ્રાક્રુતિક વિશ્વનો સ્વાદ છે. વાંચને તેણે જે ગુમાવ્યું તે માટેની ભાષા આપી. કવિ ડેરેક વાલ્કોટની આ લાઈનો કેટલી કિંમતી છે ? પેટ્રિકે આ કવિતાને યાદ કરી. "દિવસો કે જે મેં યોજ્યા છે, દિવસો કે જે મેં ખોયા હતા, દિવસો કે જેનો વિકાસ થયો, પુત્રિઓની જેમ, મારા આશ્ચર્યસ્થાન હથિયારો." વાંચને તેને તેની પોતાની હિંમત શીખવી. યાદ રાખો કે તેણે ફ્રેડરીક ડગલાસને વાંચવાનું ચાલુ રાખ્યું , તે પીડાદાયક હોવા છતાં. તે સભાન રહ્યો, તે જાણવા છતાં કે સભાનતા દુ:ખ આપે છે. વાંચન એ વિચારવાનો એક પ્રકાર છે, તેથી જ વાંચવું મુશ્કેલ છે કારણ કે અમારે વિચાર કરવો પડશે અને પેટ્રિકે વિચારવાનું નહીં, કરતાં વિચારવાનું પસંદ કર્યું અને છેલ્લે, વાંચને તેને તેની પુત્રી સાથે વાત કરવાની ભાષા આપી. વાંચનથી તેમને લખવાની ઇચ્છા થઈ. વાંચન અને લેખન વચ્ચેની કડી ખૂબ શક્તિશાળી છે. જ્યારે આપણે વાંચવાનું શરૂ કરીએ છીએ, અમે શબ્દો શોધવાનું સારું કર્યું. અને તેને એક સાથે બંનેની કલ્પના કરવા માટેના શબ્દો મળ્યા. તેને શબ્દો મળ્યાં તે કહેવા કે તે તેને કેટલો પ્રેમ કરે છે. વાંચનથી પણ એકબીજા સાથેના આપણા સંબંધો બદલાયા છે. તેણે આપણને આત્મીયતા માટે એક પ્રસંગ આપ્યો, આપણા દૃષ્ટિકોણથી આગળ જોવા માટે. અને વાંચને એક અસમાન સંબંધ લીધો અને આપણને ક્ષણિક સમાનતા આપી. જ્યારે તમે કોઈને વાચક તરીકે મળશો તમે તેને પ્રથમ વખત મળ્યા, નવી રીતે અને તાજગીથી. તેની મનપસંદ લાઇન શું હશે તે જાણવાનો કોઈ રસ્તો નથી. તેણે કઈ યાદો અને ખાનગી દુ:ખ છે. અને તમે તેના આંતરિક જીવનની અંતિમ ગોપનીયતાનો સામનો કરો છો. અને પછી તમે આશ્ચર્ય પામવાનું શરૂ કરો , "મારૂ આંતરિક જીવન શેનું બનેલુ છે ? બીજા સાથે શેર કરવા માટે શું યોગ્ય છે ?" હું પાતાવવા માંગુ છું પેટ્રિકના પત્રો કે જે તેની પુત્રી માટે અને મારી કેટલીક પ્રિય લાઈનો પર "નદી કેટલાક સ્થળોએ અસ્પષ્ટ છે પરંતુ ઝાડની તીરાડોમાંથી પ્રકાશ ઝળકે છે... કેટલીક શાખાઓ પર પુષ્કળ શેતૂર અટકી જાય છે. તમે કેટલાકને પકડવા માટે તમારો હાથ સીધો બહાર કાઢ્યો. " અને અ મનોહર પત્ર, જ્યાં એ લખે છે, "તમારી આંખો બંધ કરો અને શબ્દોના અવાજને સાંભળો. હું આ કવિતાને હરદાયથી જાણું છું અને હું ઈચ્છું છું કે તમે પણ તે જાણો ." તમારો ખૂબ ખૂબ આભાર. (તાળીઓ )